ખેડૂત ખેતી કરવા માટેની તૈયારીઓ શરૂ કરે છે ત્યારે તેની સૌથી મોટી ચિંતા હોય છે કે પાકનું જીવાતોથી કેવી રીતે રક્ષણ કરવું. ચૂસીયા અને નાની ઇયળો પાકને નુકસાન ઘણું નુકસાન પહોંચાડે છે. ખેડૂતે આ ઇયળોથી રક્ષણ માટે મોંઘા અને ઝેરી કેમિકલયુક્ત કીટનાશકોનો છંટકાવ કરે છે. પરંતુ વધુ પડતા કેમિકલના ઉપયોગથી પાકની ગુણવત્તા પર અસર પડી શકે છે. પરંતુ કેટલાક પ્રાકૃતિક ઉપચારથી વગર કેમિકલનું નિમાસ્ત્ર તૈયાર કરી પાક પર છંટકાવ કરવાથી પાકને ચુસીયા અને ઇયળોથી બચાવી શકાશે અને પાકને કેમિકલની અસરથી પણ દૂર રાખી શકાશે.
નિમાસ્ર બનાવવાની રીત
સામગ્રી
200 લીટર પાણી
10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર
2 કિલો દેશી ગાયનું છાણ
10 કિલો કડવા લીમડાના પાંદડા અન કુંબડી ડાળીઓ
10 થી 12 કિલો ખાંડેલી લીંબોળી
આ બધી ચીજવસ્તુઓ એકત્ર થયા બાદ નીમાસ્ત્ર બનાવવાની શરૂઆત કરવી જોઇએ જેથી બનાવતી વખતે કોઇ ચીજવસ્તુ ખુટે નહી તેની ખાસ કાળજી રાખવી.
નીમાસ્ત્ર બનાવવાની પદ્વતિ
તમામ સામગ્રીનું મિશ્રણ બનાવવું
આ મિશ્રણને કોથળાથી ઢાંકી 48 કલાક માટે છાયડામાં રાખવું
સવાર-સાંજ 1-1 મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં લાકડાના ડંડાથી હલાવવું
ત્યારબાદ ગાળીને સંગ્રણ કરવો

હવે છંટાકવા કરવા માટે નિમાસ્ત્ર તૈયાર બનશે. પ્રતિ એકર 100 થી 200 લીટર પાણીમાં 6 થી 8 લીટર નીમાસ્ત્ર અર્ક મિશ્રિત કરીને પાક પર છાંટવું.
નીમાસ્ત્ર એકવખત તૈયાર કર્યા બાદ તેને 3 મહિના સુધી ઉપયોગમાં લઇ શકાય છે.
આમ ઘરે જ સંપૂર્ણ પ્રાકૃતિક રીતે તૈયાર કરેલું નીમાસ્ત્ર ચૂસીયા જેવી જીવાત અને નાની ઇયળોથી પાકને સંપૂર્ણ રક્ષણ કરશે. ઉપરાંત કેમિકલયુક્ત જંતુનાશકોની મોંઘા ખર્ચથી પણ બચાવે છે. પ્રાકૃતિક ખેતીમાં નીમાસ્ત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થઇ રહ્યું છે. લાખો ખેડૂતોએ નીમાસ્ત્ર તૈયાર કરી પાક પર છંટકાવ કરી તેનો લાભ મેળવ્યો છે.